દ્રાવ્ય ખાતરના ભાવમાં તોતિંગ વધારો
જમીનમાં અપાતા રાસાયણિક ખાતરોની જેમ વોટર સોલ્યૂબલ ખાતરોમાં પણ ખેડૂતોને સબસિડીનો લાભ અપાય તો સૂક્ષ્મ સિંચાઇ વધારવાના કૃષિ વિભાગના પ્રયત્નોમાં વધારો થશે : દર વર્ષે ખાતરના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો થતો વધારો : રાજ્યમાં ૧૧ લાખ હેક્ટરથી વધુમાં થતી સૂક્ષ્મ સિંચાઈ : ખાતર અને દવાનો ખેડૂતોને વધતો જતો ખર્ચ : મગફળી, કપાસ, ફળ-ફૂલ પાકો સહિત રક્ષિત ખેતીમાં મોટાપાયે ખેડૂતોની પ્રથમ પસંદ બની છે સૂક્ષ્મ સિંચાઈ : સોલ્યુબલ ખાતરોનું પ્રમાણ જાણવાની નહીંવત્ સુવિધા : ડોલરના ભાવના આધારે ખાતરના ભાવમાં થતી વધઘટ
સૂક્ષ્મ સિંચાઈ આજની તાતી જરૃરિયાત છે. દેશમાં ભગવાન ભરોસે ૪૦૦ લાખ હેક્ટરમાં થતી ખેતીને બચાવવા માટે સરકારે પણ નવી યોજના શરૃ કરી છે. ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈમાં ૫૦ ટકા સબસિડી મળતી હોવાની સાથે તેના લાભથી આજે ગુજરાત એ સૂક્ષ્મ સિંચાઈમાં દેશભરમાં અગ્રીમ હરોળમાં છે. ગુજરાતમાં ૧૧ લાખ હેક્ટરથી વધુમાં થતી સૂક્ષ્મ સિંચાઈથી ખેતીની કડવી વાસ્તવિકતા એ છે કે સૂક્ષ્મ સિંચાઈમાં ઉપયોગમાં લેવાતા વોટર સોલ્યુબલ ખાતરોના ભાવમાં દર વર્ષે ૧૦થી ૧૫ ટકાનો વધારો થઈ રહ્યો છે. વોટર સોલ્યુબલ ખાતરો અંગે કોઈ નિયમાવલી ન હોવાથી રાજ્યમાં ખેડૂતો મોટાપાયે છેતરપિંડી થઈ રહી હોવાની બુમરાણ પાડી રહ્યા છે. યુરિયા કે ડીએપીના ભાવમાં રૃપિયા ૫૦નો વધારો થાય તો ખેડૂતો ઉહાપોહ મચાવે છે ત્યારે આધુનિક ખેતીના નામે દ્રાવ્ય ખાતરોના ભાવ ખેડૂતોની કમર તોડી રહ્યા છે. વોટર સોલ્યૂબલ ખાતરો વિદેશથી આયાત થતા હોવાથી ડોલરના ભાવની સીધી અસર તેની પર થતી હોય છે. વર્ષ ૨૦૦૯ની સ્થિતિએ આજે દ્રાવ્ય ખાતરોના ભાવ સામે આજે ખાતરોના ભાવ દોઢા થઇ ગયા છે. સૂક્ષ્મ સિંચાઇ માટે ધારાધોરણો ઘડાયા છે, પરંતુ ખેતી ખર્ચમાં થતો જતો વધારો ખેડૂતોને સૂક્ષ્મસિંચાઇથી અળગા કરે તે પૂર્વે યોગ્ય પગલાં ભરવાની જરૃરિયાત છે.
આ જે દેશમાં સૂક્ષ્મ સિંચાઈથી ખેતીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે સૂક્ષ્મ સિંચાઈમાં પેસ્ટ્રોલોજી અને ર્ફિટગેશન અંગેની સચોટ વિગતો હોવી એ ખેડૂતો માટે અત્યંત જરૃરી છે. ર્ફિટગેશન એટલે પાણી સાથે દ્રાવ્ય ખાતરોને આપવાની ટેકનોલોજી. ખાતરો ડ્રીપ દ્વારા સીધા જ મૂળમાં આપવાથી છોડને નિયમિતપણે જરૃરિયાત મુજબ ખાતર મળતુંં રહેતું હોય છે. ડ્રિપ સિંચાઇનો સૌથી મોટો ફાયદો એ ર્ફિટગેશન છે. ડ્રિપ માટે હવે ખેડૂતો એવું ખાતર પસંદ કરે છે કે જે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય હોય. ખેડૂતો આ ખાતરો એગ્રોનોમિસ્ટની સલાહ મુજબ ઉપયોગમાં લેતા હોય છે. આજે ડ્રિપની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. સૌથી વધુ સૂક્ષ્મ સિંચાઈથી ખેતી બનાસકાંઠા જિલ્લામાં થાય છે. મગફળી, કપાસ અને ફળ -ફૂલ પાકો સહિત રક્ષિત ખેતીમાં મોટાપાયે ખેડૂતોની પ્રથમ પસંદ એ સૂક્ષ્મ સિંચાઈ જ રહી છે. આજે ગુજરાતમાં ૩૩૪૨ નેટહાઉસ, ૨૦૯૪ ગ્રીનહાઉસ, ૫૧ નર્સરી અને અને ૧૨,૦૦૦ હેક્ટરમાં થતી મલ્ચિંગની ખેતીમાં ખેડૂતો સૂક્ષ્મ સિંચાઇનો ઉપયોગ કરે છે.
મગફળી અને કપાસની ખેતીમાં ડ્રિપના ઉપયોગથી ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. સાથોસાથ સૂક્ષ્મ સિંચાઇનું આ ક્ષેત્ર આધુનિક ખેતીમાં આવતું હોવાની સાથે વણખેડાયેલું હોવાથી સૂક્ષ્મ સિંચાઇથી થતી ખેતીમાં ખેતીખર્ચમાં ધરખમ વધારો ખેડૂતો નજરઅંદાજ કરી રહ્યા છે. એકમાત્ર વોટર સોલ્યુબલ ખાતરોના ભાવ દર વર્ષે ૧૦થી ૧૫ ટકાના દરે વધી રહ્યા છે. ૨૦૦૯ બાદ સૂક્ષ્મ સિંચાઇથી થતી ખેતીનું પ્રમાણ વધતાં સૂક્ષ્મ સિંચાઈ સંલગ્ન કંપનીઓનો પણ રાફડો ફાટવા લાગ્યો હતો. ખેતીમાં ઉપયોગ થતાં વોટર સોલ્યુબલ ખાતરોનું પ્રમાણ જાણવા માટે પણ ખેડૂતો પાસે યોગ્ય ટેક્નિકના અભાવે વોટર સોલ્યુબલ ખાતરો બનાવતી કંપનીઓ યોગ્ય ધારાધોરણો ન જાળવી ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી હોવાની પણ ખેડૂતોમાંથી બુમરાણ ઊઠી રહી છે.
સરકાર સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ વધારવા માટે પ્રયત્નો કરી રહી છે ત્યારે સૂક્ષ્મ સિંચાઇમાં વધતો જતો ખર્ચ ખેડૂતોમાં સૂક્ષ્મ સિંચાઇ યોજના અંગે નારાજગી પ્રસરાવે તે પૂર્વે ગ્રીનહાઉસ અને ખેતઓજારોની જેમ ખેડૂતોને ફિક્સ અને એક જ ભાવે દ્રાવ્ય ખાતરો મળે તેવી વ્યવસ્થા ઉભી કરવાની આજની તાતી જરૃરિયાત છે. વોટર સોલ્યૂબલ ખાતર મોટાભાગે વિદેશમાંથી આયાત થતા હોવાથી ડોલરના ભાવની વધઘટ ખાતરના ભાવને અસર કરે છે.
જમીનમાં અપાતા રાસાયણિક ખાતરોનો યોગ્ય માત્રામાં વપરાશ થાય અને તેનું પ્રમાણ જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવાની સાથે ખાતર પર સબસિડી પણ આપવાની જરૃર છે. ખાતરોના ભાવ એક સરખા જળવાય રહે તેવી ધારાધોરણોમાં ફેરફાર કરવાની જરૃર છે. વોટર સોલ્યૂબલ ખાતરોમાં કોઇ પ્રકારની રાહત ન હોવાથી આ ખાતરો ખેડૂતો ઊંચા ભાવે ખરીદી રહ્યા છે. સૂક્ષ્મ સિંચાઇમાં જાગૃતિ માટેના પ્રયત્નોની સાથે સાથે ખેતીખર્ચ અંગે પણ પ્રયત્નો હાથ ધરાય તો સૂક્ષ્મ સિંચાઇ યોજનાનો વ્યાપ ઝડપભેર થઇ શકે છે. વોટર સોલ્યૂબલ ખાતરો પાકમાં આપવાની માત્રા ઘણી ઓછી હોવા છતાં ખાતરો આયાત થતા હોવાથી ભાવમાં ઘણો વધારો ખેડૂતોએ સહન કરવો પડી રહ્યા છે.
૨૦૧૮માં દ્રાવ્ય ખાતરનું બજાર ૨,૪૮૨.૩ મિલિયન ડોલરે પહોંચશે
એશિયા-પેસેફિક પ્રદેશમાં વોટર સોલ્યુબલ ખાતરોનું બજાર વર્ષ ૨૦૧૩માં ૧,૮૪૯ મિલિયન ડોલરે રહ્યું હતું તે હવે વર્ષ ૨૦૧૮માં ૨,૪૮૨.૩ મિલિયન ડોલરે પહોંચે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ આ બજાર વર્ષ ૨૦૧૩થી લઈને ૨૦૧૮ સુધીમાં કુલ ૬.૧ ટકાનો ર્વાિષક વૃદ્ધિ દર નોંધાવશે તેવા પણ અહેવાલો છે. ખાતર બજારની આ વૃદ્ધિ પાછળ ભારત અને ચીન જેવા દેશોનું રોકાણ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને ભારત સહિત ચીનમાં વિકસિત સિંચાઈ સિસ્ટમને કારણે, ચીન વોટર સોલ્યુબલ ખાતરોના બજારમાં વૃદ્ધિ દર વધારે નોંધાવે છે. એક અહેવાલ અનુસાર આ વ્યવસાયના વિસ્તરણ માટે વૈશ્વિક સ્તરે અન્ય દેશો પણ એશિયા-પેસિફિક પ્રદેશમાં દાખલ થવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. વર્ષ ૨૦૧૩માં એશિયા-પેસેફિક માર્કેટની કુલ આવકમાં માત્ર ચીન ૪૨.૯ ટકાના હિસ્સા સાથે મુખ્ય બજાર રહ્યું હતું. અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૮માં કુલ બજારની વૃદ્ધિમાં ભારત, ચીન સહિત ઓસ્ટ્રેલિયા, મલેશિયા, ઈઝરાયેલ જેવા દેશોનો ફાળો પણ મહત્ત્વપૂર્ણ રહેશે. નોંધઃ એક મિલિયન એટલે ૧૦ લાખ ગણવા
પાણીમાં દ્રાવ્ય ખાતરો અંગે જાણો
ખાતરનું નામ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ૨૦૦૯ ૨૦૧૪
યુરિયા ફોસ્ફેટ ૧૭ ૪૪ ૦૦ ૮૫૦ ૧૨૦૦થી ૧૪૦૦
એનપીકે ૧૯ ૧૯ ૧૯ ૧૧૦૦ ૨૨૦૦થી ૨૫૦૦
મોનો પોટેશિયમ સલ્ફેટ ૦૦ ૫૨ ૩૪ ૧૭૦૦ ૩૨૦૦થી ૩૬૦૦
મોનો એમોનિયમ ફોસ્ફેટ ૧૨ ૬૧ ૦૦ ૧૬૦૦ ૨૫૦૦થી ૩૦૦૦
પોટેશિયમ નાઇટ્રેટ ૧૩ ૦૦ ૪૫ ૧૫૦૦ ૨૦૦૦થી ૨૨૦૦
પોટેશિયમ સલ્ફેટ ૦૦ ૦૦ ૫૦ ૧૦૦૦ ૧૭૦૦થી ૧૯૦૦
કેલ્શિયમ નાઇટ્રેટ ૧૫ ૦૦ ૦૦ ૮૦૦ ૧૨૦૦થી ૧૭૦૦
નોંધઃ ભાવ ૨૫ કિલોના છે. કંપની પ્રમાણે ભાવ અલગ-અલગ હોઇ શકે આ ફક્ત આધાર છે.
ડ્રિપમાં ખાતરોના વપરાશ અંગે મહત્ત્વની સૂચનાઓ
* ખાતર આપતાં પહેલાં અને પછી પિયત આપવું જરૃરી છે. જેથી ખાતર મૂળ વિસ્તારમાં અસરકારક રીતે પહોંચી શકે. ખાતર ચઢાવ્યા બાદ ઓછામાં ઓછું ૧૫થી ૨૦ મિનિટ ખાલી પાણી આપવું.
* ખાતર આપવા માટે સવાર અથવા સાંજનો સમય વધારે યોગ્ય સમય છે.
* ખાતર પૂરેપૂરું ઓગળીને ત્યારબાદ ગાળ્યા પછી જ ડ્રિપમાં ચઢાવવું.
* અલગ પ્રકારનાં ખાતરો એક સાથે આપવાં નહીં.
* ક્ષારયુક્ત પાણીમાં એમો સલ્ફેટ/ મેગ્નેશિયમ સલ્ફેટ જેવાં ખાતરને જલદીથી ઓગાળવા ખાતર સાથે સલ્ફયુરિક એસિડ અથવા સાઈટ્રિક એસિડ (લીંબુનાં ફૂલ) ઉમેરી શકાય.
* પાણીમાં નહીં ઓગળતાં ખાતરો જેવાં કે ડી.એ.પી., એસ.એસ.પી., નર્મદા કેન તથા અન્ય એન.પી.કે ખાતર પાયામાં આપવા માટે જ ઉપયોગ કરવો.
* પોટાશયુકત ખાતરો સફેદ રંગવાળાં જ વાપરવાં.
* ૧ કિલો યુરિયા = ૨.૨૫ કિલો એમો.સલ્ફેટ પ્રમાણે આપી શકાય.
* સામાન્ય રીતે વપરાતાં ખાતરો ૧ કિલો ઓગળવા માટે ૪થી ૫ લિટર પાણી જરૃરી છે.
ફૂલોની ખેતીમાં પણ ખર્ચ વધ્યો
હાઈ-ટેક પદ્ધતિ પ્રમાણે ગ્રીનહાઉસમાં જરબેરા અને ડચ રોઝ ખેતીખર્ચમાં ધરખમ વધારો થયો છે. હાઈ કવોલિટીનાં ફૂલો ઉછેર્યા બાદ તેને માર્કેટમાં મોકલવા માટેની વ્યવસ્થા માટે લગભગ પાંચ વર્ષમાં રો-મટીરિયલ્સમાં ભાવો આસમાને પહોંચી ગયા છે જે બાબતે ગુજરાત હાઈ-ટેક ફાર્મર્સ કો.ઓ સોસાયટીના પ્રમુખ હિતેશભાઇ પટેલ ભાવવધારા અંગે કહે છે કે, ફૂલોને ફીટ કરવા માટે પ્લાસ્ટિકની થેલી ૨૦૦૯ની સાલમાં પ્રતિ કિલોગ્રામ રૃ.૯૫માંં મળતી હતી જે આજે ૨૦૧૪માં વધીને પ્રતિ કિલોગ્રામ રૃ.૧૬૫ થઈ ગયા છે. એ જ પ્રમાણે રબર બેન્ડ ૨૦૦૯ની સાલમાં પ્રતિ કિલોગ્રામ રૃ.૯૦ ના ભાવે ખેડૂતોને મળતી હતી તે આજે ૨૦૧૪માં વધીને પ્રતિ કિલોગ્રામ રૃ.૧૬૦માં મળી રહી છે. જંતુનાશક દવાઓમાં પણ ૨૫ ટકાનો ધરખમ વધારો થયો છે. જેમાં ખેડૂતો પિસાઇ રહ્યા છે.
published in Gujarat leading agriculture news paper Agro sandes
published in Gujarat leading agriculture news paper Agro sandes
No comments:
Post a Comment